મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

અરૂણ જેટલીએ ભાજપને ૩૦૪ બેઠક મળશે તેવું સચોટ તારણ લખીને આપેલ

મુંબઇઃ 'ટાઇમ્સનાઉ' ચેનલના મેનેજીંગ એડીટર શ્રી નાવિકા કુમારે તાજેતરમાં પોતાના અંગત ટવી્ટ્ર એકાઉન્ટ (@navikakumar) ઉપર રસપ્રદ ટવી્ટ કર્યુ છે. તેમણે ટવી્ટ કર્યું છે કે ૧૯ મે ના રોજ નાણામંત્રી શ્રી અરૂણ જેટલીએ ભાજપને કેટલી બેઠક મળશે, તેનુ તારણ અમને આપ્યું હતુ. તેમનો એ આંકડો ૩૦૪ હતો. અને વાસ્તવમાં ભાજપ એકલા હાથે ૩૦૩ બેઠકો મેળવી ગયો છે. ૩ દિવસ પૂર્વે કરેલા ટવી્ટમાં નાવિકાજીએ લખે છે કે જે કાગળ ઉપર જેટલીજી  આંકડાઓ લખ્યા હતા તે આજે ફરી ખોલીને અમે જોયા હતા. જેટલીજીની તબિયત માટે જે લોકો બોલતા રહયા છે તેમના માટે કહુ તો તેઓ પોતાના અનુમાન વિશે હંમેશા ''રેઝર શાર્પ'' 

ચોકકસ રહયા છે.

(1:19 pm IST)