મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા રાજ્યો માટે લોકડાઉન કે કર્ફ્યૂ જેવા પ્રતિબંધોની ગાઈડલાઇન જાહેર

નિર્ધારિત માપદંડના આધારે જિલ્લાઓ, શહેરો અને પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને કન્ટેનમેન્ટ ઝોન બનાવવા માટે તાકીદ

કેન્દ્રએ રાજ્યોને કોરોના કેસની સંખ્યાને ઓછી કરવા માટે અને નિયંત્રણમાં લેવા માટે લોકડાઉન અને કન્ટેનમેન્ટ ઝોન બનાવવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. નિયમોનુસાર આ એવા નિયંત્રણોનો સમય છે, જ્યારે પોઝિટિવિટી રેટ એક અઠવાડિયા માટે 10 ટકા અથવા તેથી વધુ હોય છે અને હોસ્પિટલોમાં 60 ટકાથી વધુ પથારી પર દર્દીઓ દાખલ થયેલા છે. રાજ્યોને ગૃહ મંત્રાલય દ્વારા નિર્ધારિત માપદંડના આધારે જિલ્લાઓ, શહેરો અને પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને કન્ટેનમેન્ટ ઝોન બનાવવા માટે તાકીદ કરવામાં આવી છે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ક્યાં અથવા કયારે લોકડાઉન કરવું અથવા "મોટું કન્ટેનમેન્ટ ઝોન" બનાવવું, આ બધું પુરાવાને આધારે અને તેનું વિશ્લેષણ પ્રભાવિત વસ્તી, ભૌગોલિક વિસ્તાર, હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કર્મચારીઓની સંખ્યા અને સીમાઓના આધારે કરવામાં આવે છે.

રાજ્યોને લોકડાઉન લાદવા માટે "હેતુપૂર્ણ, પારદર્શક અને મહામારીને લઈને નિર્ણય લેવા" માટે એક વ્યાપક ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું છે. જો પોઝિટીવીટી રેટ એક અઠવાડિયા સુધીમાં 10 ટકા અથવા તેથી વધુ હોય, એટલે કે, 10 સેમ્પલમાંથી એક પોઝિટિવ છે, અને જો 60 ટકાથી વધુ પથારી પર ઓક્સિજન સપોર્ટ વાળા કોવિડ દર્દીઓ ભરતી છે

(9:22 am IST)