News of Friday, 27th April 2018
આસારામને ઉંમરકેદની સજા સંભળાવનાર ન્યાયધીશ મધુસુદન શર્માની સુરક્ષામાં વધારો
જયપુર, તા.,૨૭: જોધપુર ખા તે આસારામને દુષ્કર્મના કેસમાં ઉંમરકેદની સજા સંભળાવનાર વિશેષ કોટૂના જજ મધુસુદન શર્માની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે.કોર્ટ બહાર પણ બે હથિયારધારી સુરક્ષાકર્મી તૈનાત કરવા સાથે જ એના ખાનગી રહેણાંક સ્થળે પણ બે હથિયારધારી સુરક્ષાકર્મીઓની નિમણુંક કરાઇ છે.
એવી જ રીતે પોલીસની પીસીઆર વાન નિયમિત રીતે શ્રી શર્માના નિવાસ સ્થાન નજીક ફરતી રહે છે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ દુષ્કર્મ કેસમાં ઉંમરકેદની સજા પામેલા આસારામ અને ૨૦-૨૦ વર્ષની સજા માટે જેલમાં સાથીદાર શરદ અને છિંદવાડા ગુરૂકુળની વોર્ડન રહી ચુકેલી શિલ્પી તરફથી આજે સંભવતઃ જોધપુરની વિશેષ કોર્ટના સજાના હુકમ સામે હાઇકોર્ટમાં અપીલ કરવામંા આવી શકે છે.(૪.૨૦)
(4:08 pm IST)