મુખ્ય સમાચાર
News of Thursday, 26th April 2018

દિલ્હીના નરેલા વિસ્તારમાં કેશ વેન ઉપર ફાયરિંગ :બાઈક સવાર ત્રણ શખ્શોનું અંધાધૂંધ : કેશિયર અને ગાર્ડનું મોત :12 લાખ લૂંટીને લૂંટારુ ફરાર

નવી દિલ્હી :દિલ્હીના નરેલા વિસ્તારમાં એક કેશ વેન ઉપર બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કરીને લૂટારૂઓ 12 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયા છે. લૂંટની ઘટનાને અંજામ આપવા આવેલા ત્રણ અજ્ઞાન બાઇક સવારોએ વાન ઉપર અચાનક ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. વાનમાં સવાર કેશિયર અને ગાર્ડનું મોત થયું હતું

   પોલીસના જણાવ્યા પ્રમાણ કેશ વાન લૂંટની આ ઘટના બપોરે બે કલાકને 30 મિનિટ પર થઇ હતી. બેંક કેશવાન નરેલાની ડીએસઆઇઆઇડીસી (દિલ્હી રાજ્ય ઔદ્યોગિક એને બુનિયાદી ઢાંસા વિકાસ નિગમ)ની એક દારૂની દુકાન પાસે થઇ હતી.

   પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે વાનમાં સવાર કેશિયર રજનિકાંત અને ગાર્ડ પ્રેમ કુમારને મોટરસાઇકલ ઉપર સવાર ત્રણ અજાણ્યા આરોપીઓએ ગોળી મારી હતી. બંને પીડિતોની મોત નરેલામાં રાજા હરિશચંદ્ર હોસ્પિટલમાં થઇ હતી.

(12:24 am IST)