મુખ્ય સમાચાર
News of Friday, 27th March 2020

કોરોનાના ડરના કારણે કર્ણાટકમાં પુરુષએ કરી આત્મહત્યા : પરીવારને કહ્યું- ટેસ્ટ કરાવી લેજો

કોરોના વાયરસ થયો હોવાની શંકાને કારણે જીવ દીધો

કોરોના વાયરસને કહેર વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલો છે અને તેનો વ્યાપ આપણા દેશમાં પણ વધી રહ્યો છે તેના કારણે લોકોના મનમાં ભય ઉત્પન્ન થયો છે.  તાજેતરમાં જ કર્ણાટકમાં એક 56 વર્ષીય પુરુષએ આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરવાનું કારણ માત્ર એટલું છે કે તેને કોરોના વાયરસ થયો હોવાની શંકા હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર કર્ણાટકના ઉદુપીમાં એક 56 વર્ષીય પુરુષએ આત્મહત્યા કરી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિએ કોરોના હોવાની શંકાના કારણે આપઘાત કર્યો છે. આ વ્યક્તિએ તેની સ્યુસાઈડ નોટમાં તેના પરીવારને સંબોધી લખ્યું છે કે તમે લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી લેજો અને સુરક્ષિત રહેજો. પોલીસના જણાવ્યાનુસાર આ વ્યક્તિ બીમાર પણ ન હતી અને તેનામાં કોરોનાના કોઈ લક્ષણ પણ જોવા મળ્યા ન હતા

(1:01 pm IST)