કોરોના સામે લડત : આર્મીની પાસે '6 કલાક' નો પ્લાન તૈયાર
સેના પ્રમુખે કહ્યું - આર્મીના '6 કલાક' ના પ્લાન હેઠળ તાત્કાલિક આઇસોલેશન સેન્ટર-આઇસીયૂને તૈયાર કરવા સક્ષમ
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના કેસની વધી રહેલા કેસને લઇને સેના પ્રમુખ એમ.એમ. નરવણેનું કહેવું છે કે જો જરૂર પડશે તો સેના કોઇપણ પગલુ ઉઠાવવા માટે તૈયાર છે. આર્મીની પાસે એક '6 કલાક' નો પ્લાન તૈયાર છે, જે હેઠળ તાત્કાલિક આઇસોલેશન સેન્ટર અને આઇસીયૂને તૈયાર કરી શકાશે.
ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સેના પ્રમુખે કોરોના વાયરસના પડકાર પર ચર્ચા કરી, આર્મી ચીફ નરવણે મુજબ, આ સંકટના સમયમાં સેના પોતાનું કામ કરી રહી છે અને તમામ ઓપરેશનલ ટાસ્ક આ સમયે જારી છે. હાલ સુધી ઘણા દેશોએ આ સંકટનો સામનો કરવા માટે સેનાની મદદ લીધી છે. તેના પર આર્મી ચીફે કહ્યું કે ભારતીય સેના દેશના લોકો માટે છે, જો જરૂર પડશે અને સરકાર આદેશ આપશે તો સેના પૂર્ણ રીતે તૈયાર છે.
તેઓએ કહ્યું કે ભારતીય સેનાના તમામ જવાનોને કોરોના વાયરસ વિશે જાણકારી આપવામાં આવી છે અને જરૂરી પગલા ઉઠાવવા કહેવામાં આવ્યું છે જેથી કોઇ સમસ્યા ન સર્જાય. સેના પ્રમુખ એમ.એમ. નરવણે જણાવ્યું કે સેના અલગ-અલગ સ્તર પર કોરોના વાયરસનો સામનો કરવા તૈયારી કરી રહી છે. તેમા સર્વિલાન્સ અને આઇસોલેશનની પ્રોડક્ટવિટી વધારવી, અલગ-અલગ બેસ પર હાજર સેનાની હોસ્પિટલોમાં 45 બેડનું આઇસોલેશન વોર્ડ તૈયાર કરવો અને તેની સાથે જ 10 બેડનો એક આઇસીયૂ વોર્ડ પણ તૈયાર કરવો. આ સુવિધા 6 કલાકની નોટિસ પર તૈયાર કરી શકાય છે.