લોકોને પરાણે પાકિસ્તાન મોકલનારા મંત્રીએ બેગૂસરાયને કહ્યું વણક્કમ’: કનૈયા કુમારે ટ્વીટ કરીને લીધા ગિરિરાજસિંહ ઝપટે
પાકિસ્તાન ટુર એન્ડ ટ્રાવેલ્સ વિભાગના વીઝા પ્રધાનને નવાદાથી બેગુસરાય મોકલતા દર્દ થયું છે
નવી દિલ્હી :લોકસભાની ચૂંટણીમાં બિહારની બેગૂસરાય બેઠક પર ભાજપના ફાયરબ્રાંડ નેતા ગિરિરાજસિંહની સામે સીપીઆઈમાંથી જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારે ઉમેદવારી નોંધાવી છે.
ગિરિરાજસિંહ તેમની બેઠક બદલાતા નારાજ છે તો કનૈયા કુમારે પણ ગિરિરાજ પર નિશાન તાકીને ટ્વીટ કર્યું કે લોકોને જબરદસ્તી પાકિસ્તાન મોકલનારા પાકિસ્તાન ટુર એન્ડ ટ્રાવેલ્સ વિભાગના વીઝા પ્રધાનને નવાદાથી બેગૂસરાય મોકલાતા દર્દ થયું છે. મત્રીજીએ તો કહી દીધું બેગૂસરાયને વણક્કમ, કનૈયાકુમારનું આ ટ્વીટ વાયરલ થઈ રહી છે.
બિહારમાં નવાદા બેઠકને બદલે બેગૂસરાય બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે તેમને ફરીથી વ્યથા ઠાલવી. તેમણે કહ્યું કે પક્ષના નિર્ણયથી તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે. મને પૂછ્યા વગર જ બેઠક બદલી દેવાઈ. તેમણે પક્ષ સામે સવાલ પણ કર્યો કે પાર્ટી નેતૃત્વએ જણાવવુ જોઈએ કે આમ કેમ કરવામાં આવ્યું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પોતાના આત્મ સન્માન સાથે કોઈ સમજૂતી નહી કરે.