News of Monday, 27th January 2020
બજેટ સત્ર દરમ્યાન સીએએ, એનઆરસી મંદી અને બેરોજગારી પર સરકારને ઘેરાવ કરશે કોંગ્રેસ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક થઇ જેમાં સંસદના આગામી બજેટ સત્રમાં સંશોધિ નાગરિકતા કાનુન, એનઆરસી, અને એનપીઆર સાથે જ આર્થિક મંદી અને બેરોજગારીના મુદાને લઇ નરેન્દ્ર મોદી સરકારને ઘેરાવ તથા અન્ય વિપક્ષી દળોને પણ સાથે લેવાનો નિર્ણય થયો. સોનિયાના આવાસ પર થયેલ પાર્ટીની નીતિ બનાવવાવાળી સમિતિની આ બેઠકમાં પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
સૂત્રોએ બતાવ્યું આ બેઠકમા સંસદના આગામી સત્રમાં આમ સીએએ, એનઆરસી, એનપીઆર, બેરોજગારી, અર્થવ્યવસ્થા અને સરકારી દમન જેવા મુદાઓને સંસદના બન્ને સદનોમાં આક્રમક રીતે ઉઠાવવા અને અન્ય વિપક્ષી દળોનો સાથ લેવા નિર્ણય થયો. બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૃ થશે.
(11:06 pm IST)