મુખ્ય સમાચાર
News of Saturday, 26th November 2022

પોરબંદર- ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના જવાનો વચ્ચે ફાયરિંગ: 2 જવાનના મોત :અન્ય બે જવાનો ઘાયલ

બંને ઈજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા:પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યા

અમદાવાદ : પોરબંદર- ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના જવાનો વચ્ચે  ઝઘડો થયો હતો.  ઝઘડામાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનોના ઝગડામાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન છે. જેમા 2 જવાનોના મોત થયા. જ્યારે અન્ય 2  જવાનો ઘાયલ છે. બંને ઈજાગ્રસ્તને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. જવાનો મણિપુરમની બટાલિયન છે

આ ઘટના પોરબંદરમાં આવેલી નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં બની હતી. હાલ બે ઈજાગ્રસ્ત જવાનોને ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોરબંદરમાં આઈઆરબી જવાનોને ચૂંટણી બંદોબસ્તનું કામ સોંપાયું હતું. જોકે આ જવાનો વચ્ચે કોઈક બાબતે અંદરો અંદર ફાયરિંગ કરવાયું હતું. આ ફાયરિંગની ઘટનામાં બે જવાનોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ જવાનો અહીં આવેલા નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં હતા ત્યારે તેઓ વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કરતા ફાયરિંગની ઘટના બની હતી.

આ ઘટનામાં બે જવાનોના મોત થાયાના અહેવાલ છે, તો એક જવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તો અન્ય 2 ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દરમિયાન આ ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે

(11:40 pm IST)