મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

મહારાષ્ટ્રમા કોરોનાથી મૃત્યુ પામનારાના પરિવારને 50 હજારની આર્થિક સહાય અપાશે

મુંબઈ :  મહારાષ્ટ્રની ઉદ્વવ સરકારે રાજ્યમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓને લઈને મોટી જાહેરાત કરી છે. રાજ્યની MVA સરકારે નિર્ણય લીધો છે કે અહીં કોરોના રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને વળતર આપવાની જાહેરાત ઉદ્વવ સરકારે કરી છે

(11:26 pm IST)