મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

મોટો ખળભળાટ સર્જતો ધડાકોઃ પરમવીરસિંઘે આતંકી કસાબનો ફોન તોડી નાખ્યો હતો

મુંબઇઃ મુંબઇ ખંડણી વસૂલવાના જેમની સામે ગંભીર આક્ષેપો અને આરોપો મૂકાયા છે તેવા મુંબઈના વિવાદાસ્પદ પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંગ વધુ મુશ્કેલીમાં મુકાતા જાય છે. મુંબઈમાં ૨૬/૧૧ ના આતંકી હુમલામાં જીવતો પકડાયેલ પાકિસ્તાની આતંકવાદી કસાબનો ફોન પરમવીર સિંહે ઍક કોન્સ્ટેબલ પાસેથી લઈ અને તોડી નાખ્યો હતો અને આતંકીઓને મદદ કરી હતી તેવો આરોપ ઍક  રિટાયર્ડ ઍસીપીઍ કર્યો છે. ઍક ગુજરાતી ન્યૂઝ ચેનલના વિડીયોમાં આ હકીકત જાહેર થઇ છે. ઍક અહેવાલમાં ઍવુ જણાવવામાં આવ્યુ હતું કે, આતંકવાદી કસાબનો ફોન પરમવીર સિંહે છુપાવી રાખ્યો હતો.

(4:39 pm IST)