૨૪ કલાકમાં ૧૦,૫૪૯ નવા કોરોનાના કેસઃ ૪૮૮ લોકોના મોત
૯,૮૬૮ લોકો કોરોનાથી સાજા થયા
નવી દિલ્હી, તા.૨૬ : છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૦,૫૪૯ નવા કેસ નોંધાયા છે અને ૪૮૮ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના કેસની કુલ સંખ્યા ૩૪,૫૫૫,૪૩૧ પર પહોંચી ગઈ છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા ૧૧૦,૧૩૩ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯,૮૬૮ લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૩૩,૯૭૭,૮૩૦ લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૪૬૭, ૪૬૮ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૩,૮૮,૮૨૪ લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૧,૨૦,૨૭,૦૩,૬૫૯ રસીકરણ કરવામાં આવ્યું છે.
ઉત્તરાખંડના દહેરાદૂનમાં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (FRI)માં ૧૧ IFS અધિકારી પોઝિટિવ મળી આવ્યા છે. ત્યારબાદ ૪૮ અધિકારીઓને આઇસીલેટ કરી દેવામાં આવ્યા છે. જયારે, કર્ણાટકના ધારવાડમાં SDM મેડિકલ કોલેજમાં ૬૬ વિદ્યાર્થીઓએ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓનું સંપૂર્ણ વેકિસનેશન થઈ ગયું છે. ૪૦૦ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતા આ કોલેજના બિલ્ડીંગની સાથે સાથે ૨ હોસ્ટેલ પણ સીલ કેરી દેવામાં આવી છે. ૩૦૦ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ આવી ચૂકયા છે. હજી ૧૦૦ રિપોર્ટ આવવાના બાકી છે.
કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતાં કેન્દ્ર સરકારને પણ એલર્ટ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે ૧૩ રાજયોને પત્ર લખીને કોરોના ટેસ્ટિંગમાં થયેલા ઘટાડા બાબતે ચિંતા વ્યકત કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રમાં કહ્યું છે કે જો ટેસ્ટિંગમાં ઘટાડો થશે તો સંક્રમણનું યોગ્ય મૂલ્યાંકન નહીં કરી શકાય. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં બંગાળ સહિત ઘણા રાજયોમાં પણ પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે.