મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

રાહુલ ગાંધીએ અહેમદભાઈ પટેલને શ્રધ્ધાંજલી અર્પીઃ નિવાસ સ્થાને પરિવારજનોને સાંત્વના પાઠવી

રાજકોટઃ. સોનિયા ગાંધીના સલાહકાર અને કોંગ્રેસના નેતા અહેમદભાઈ પટેલનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે. આજે અહેમદભાઈના વતન પિરામણ ગામમાં તેમનો જનાજો નિકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા અને શ્રધ્ધાંજલી અર્પી હતી. રાહુલ ગાંધીએ પણ અહેમદભાઈ પટેલના પાર્થિવદેહને શ્રધ્ધાંજલી અર્પી હતી. તેમજ તેમના નિવાસ સ્થાને જઈને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:24 pm IST)