મુખ્ય સમાચાર
News of Sunday, 26th September 2021

ચક્રવાતી તોફાન ‘ગુલાબ’નું લેન્ડફોલ શરૂ : ઓડિશાના ગોપાલપુર અને વિશાખાપટ્ટનમ દરિયાકાંઠે ત્રાટકશે

18 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે:મોડીરાત્રે કલિંગપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચેનો કિનારો ઓળંગી જશે.

નવી દિલ્હી :  ચક્રવાતી તોફાન ‘ગુલાબ’નું લેન્ડફોલ રવિવારે સાંજે શરૂ થયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ મોડી રાત સુધી ઓડિશાના ગોપાલપુર અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ દરિયાકાંઠે ત્રાટકશે. સાંજે 5 વાગ્યાની આસપાસ, ગુલાબ ઓડિશાના ગોપાલપુરથી 125 કિમી અને આંધ્રના કલિંગપટ્ટનમથી 160 કિમી દૂર હતું. તે 18 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. સંભવ છે કે કલિંગપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચેનો લેન્ડફોલ મોડી સાંજથી શરૂ થશે અને મધ્યરાત્રિ સુધીમાં તે કલિંગપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચેનો કિનારો ઓળંગી જશે.

વડા પ્રધાન મોદીએ આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડી સાથે ચર્ચા કરી અને ‘ગુલાબ’ થી ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી. પ્રધાનમંત્રીએ કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદ અને દરેકની સલામતી અને સમૃદ્ધિની કામના કરી હતી.

(8:10 pm IST)