મુખ્ય સમાચાર
News of Sunday, 26th September 2021

દેશમાંથી ડાબેરી અંતિમવાદીઓને ડામવા તેના આર્થિક સ્રોતોનો નાશ કરો: અમિતભાઈ શાહ

નવી દિલ્હી :   ડાબેરી અંતિમવાદીઓના આર્થિક શ્રોતો ખતમ કરવા ઉપર ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભાર મૂક્યો છે. કેન્દ્ર સરકારની એજન્સીઓ અને રાજ્ય સરકારોએ સાથે મળી એક સિસ્ટમ્સ ઊભી કરી ડાબેરી અંતિમવાદીઓને રોકવા પ્રયાસો કરવા જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રીએ મુખ્યમંત્રીઓને અપીલ કરી હતી કે આવતું એક વર્ષ ડાબેરી અંતિમવાદીઓના પ્રોબ્લેમ તરફ અગ્રતા આપવી જોઈએ, જેથી કાયમી નિરાકરણ આ પ્રશ્નનું આવી શકે. તેમણે કહેલ કે આ માટે દબાણ સર્જવું જરૂરી છે તથા વીજળીક ઝડપ અને વધુ સારું સંયોજન પણ સર્જવું એટલું જ જરૂરી છે.

(7:54 pm IST)