મુખ્ય સમાચાર
News of Saturday, 25th September 2021

કેરળમાં કોરોનાનો કહેર ઘટ્યો :દેશમાં નવા 28.143 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 25.984 દર્દીઓ રિકવર થયા : વધુ 258 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.46.948 થયો :એક્ટીવ કેસ 2.96.500 થયા : કુલ કેસની સંખ્યા 3.36.51.221 થઇ

સૌથી વધુ કેરળમાં 16.671 કેસ,મહારાષ્ટ્ર્રમાં 3276 કેસ, મિઝોરમમાં 1322 કેસ, તામિલનાડુમાં 1724 કેસ, આંધ્રપ્રદેશમાં 1167 કેસ, કર્ણાટકમાં 787 કેસ, પશ્ચિમ બંગાળમાં 762 કેસ, ઓરિસ્સામાં 602 કેસ, આસામમાં 375 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 28.143 કેસ નોંધાયા છે. જ્યારે 25.984 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 28.143 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 258 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.46.948 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 28.143 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.36.51.221 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.96.500 થઇ છે છેલ્લા 24 કલાકમાં 25.984 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.28.94.762 લોકોએ કોરોનાને મહાત આપી છે

 દેશમાં સૌથી સૌથી વધુ કેરળમાં 16.671 કેસ,મહારાષ્ટ્ર્રમાં 3276 કેસ, મિઝોરમમાં 1322 કેસ, તામિલનાડુમાં 1724 કેસ, આંધ્રપ્રદેશમાં 1167 કેસ, કર્ણાટકમાં 787 કેસ, પશ્ચિમ બંગાળમાં 762 કેસ, ઓરિસ્સામાં 602 કેસ, આસામમાં 375 કેસ નોંધાયા છે

(1:05 am IST)