News of Tuesday, 25th September 2018
પદ્મશ્રી તથા પદ્મભૂષણ સન્માનિત કોમેન્ટેટર જસદેવ સિંઘનું નિધન
ન્યુદિલ્હી : ઓલ ઇન્ડિયા રેડીઓમાં 8 વર્ષ તથા દૂરદર્શનમાં 35 વર્ષ સુધી સેવાઓ આપી નિવૃત થયેલા 87 વર્ષીય પૂર્વ કોમેન્ટેટર જસદેવ સિંઘનું આજ મંગળવારના રોજ લાંબી બીમારી બાદ ન્યુદિલ્હી મુકામે અવસાન થયું છે.તેમને કેન્દ્રીય રમત ગમત મંત્રી શ્રી રાજવર્ધન સિંહએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી છે.તેમણે જણાવ્યું હતું કે સ્વ.જસદેવ તેમના સુરીલા અવાજથી વિશ્વભરમાં સુવિખ્યાત હતા.
(8:27 pm IST)