મુખ્ય સમાચાર
News of Tuesday, 25th September 2018

ફક્ત આક્ષેપથી કોઈ ભ્રષ્ટ નેતા થતો નથી: રાહુલ ગાંધી પાસે કોઈ તથ્ય અને પુરાવા નથી:જાવડેકર

 

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાફેલ ડીલ મામલે કરાતા આક્ષેપો અંગે કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે કોંગ્રેસની પાસે કોઈ મુદ્દો નથી અને સત્તાથી અળગા રહેતા તેમની ક્રોધાવસ્થા અને જોશ સ્પષ્ટ નજર આવી રહ્યો છે.

  તેમણે કહ્યું, “રાહુલ ગાંધી દિશાવિહીન નેતા છે. ફક્ત આક્ષેપથી કોઈ ભ્રષ્ટ નેતા થતો નથી. ગાંધી પાસે પોતાના આરોપોના પક્ષમાં કોઈ તથ્ય અને પુરાવા નથી.” તેમણે કહ્યું કે જ્યારે 2014માં કોલસા ગોટાળાને લઈને પૂર્વ સંપ્રગ સરકાર પર આરોપ લાગ્યા હતાં ત્યારે સાક્ષી અને પુરાવા પણ હતાં.

(12:00 am IST)