૨૪ કલાકમાં ૩૯૩૬૧ કેસઃ ૪૧૬ના મોત
કોરોનાના કેસ હવે લગભગ ૩૫ થી ૪૦ હજારની વચ્ચે જોવા મળી રહ્યા છેઃ સવાલ એ છે કે આ કેસ ઘટવાનું નામ કેમ લેતા નથી
નવી દિલ્હી, તા.૨૬: કોરોનાના કેસ હવે લગભગ ૩૫ થી ૪૦ હજારની વચ્ચે જોવા મળી રહ્યા છે. સવાલ એ છે કે આ કેસ ઘટવાનું નામ કેમ લેતા નથી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૯ હજારથી વધુ કેસ નોંધાયા છે. જયારે ૪૧૬ લોકોના મોત થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૯,૩૬૧ દર્દીઓ નોંધાયા છે. જો કે સાથે ૩૫,૯૬૮ દર્દીઓ રિકવર પણ થયા છે. હાલ દેશમાં કુલ ૪,૧૧,૧૮૯ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં ૩,૦૫,૭૯,૧૦૬ દર્દીઓ કોરોનાને પછાડીને રિકવર થયા છે. કોરોના વાયરસના કારણે એક દિવસમાં ૪૧૬ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંકડો હવે ૪,૨૦,૯૬૭ પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ ૪૩,૫૧,૯૬,૦૦૧ ડોઝ આપવામાં આવ્યાં છે.