News of Sunday, 26th June 2022
મહારાષ્ટ્રના રાજ્યપાલ આજે કેવું વલણ અપનાવે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ
નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં રાજકીય કટોકટી વચ્ચે કોરોનાની સારવાર લઈ રહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારીને કોઇપણ સમયે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. દરમિયાન શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે અને બળવો કરનાર ધારાસભ્યો ગૌહત્તીમાં અત્યારે બપોરે ૧૨ વાગે બેઠક યોજી રહ્યા છે. એકનાથ શિંદે કેમ્પ આજે મોડેથી રાજ્યપાલનો સંપર્ક કરશે તેમ *ન્યુઝફર્સ્ટ* નો અહેવાલ જણાવે છે
(12:02 pm IST)