News of Wednesday, 26th June 2019
એર સ્ટ્રાઇકની યોજના બનાવનાર ગોયલ બન્યા નવા રો પ્રમુખઃ કાશ્મીર જોઇ રહેલ અરવિંદ આઇબી ચીફ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાલાકોટ એર સ્ટ્રાઇકની યોજનામા ખાસ ભૂમિકા ભજવનાર સામંત ગોયલને ભારતની રીસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (રો) ના નવા પ્રમુખ નિયુકત કર્યા છે.
રો ના ઓપરેશન્સ પ્રમુખ રહેલ ગોયલની સર્જીકલ સ્ટ્રાઇકમાં પણ ભૂમિકા હતી.
ઇન્ટેલિજન્સ બ્યૂરો ( આઇ બી ) માં કાશ્મીર જોઇ રહેલ ડાયરેકટર અરવિંદ કુમારએ આઇબી પ્રમુખ બનાવવામા આવ્યા છે બંને ૧૯૮૪ બેચના આઇપી એસ અધિકારી છે.
(11:48 pm IST)