મુખ્ય સમાચાર
News of Friday, 26th May 2023

મુંબઈ એરપોર્ટ પર રાતથી 300થી વધુ મુસાફરો અટવાયા : ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ

મુંબઈથી વિયેતનામ જવાનું હતું વિમાન : મુસાફરોને એકવાર ફ્લાઈટમાં બેસાડયા પછી ઉતર્યા હતા

મુંબઈ એરપોર્ટ પર રાતથી 300થી વધુ મુસાફરો અટવાયા છે. ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે. આ પ્લેન રાત્રે 11.30 કલાકે મુંબઈથી વિયેતનામ જવાનું હતું. મુસાફરોને એકવાર ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા અને પછી ઉતર્યા હતા. એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો ચાલુ છે.

(8:28 pm IST)