મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

કર્ણાટક સરકારમાં સ્‍થાન મેળવવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ દિલ્હી દોટ લગાવી

બેંગ્લુરૂઃ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો ચૂંટણીના પરિણામ તેમના ઘર અને ઘરના લોકો દૂરથી હતા. મંત્રી બનવાની ઇચ્છામાં પોતાની ભલામણ અને લોબિંગ માટે ધારાસભ્યોએ છુટકારો મેળવતા દિલ્હીની જવા દોડમાં મૂકી હતી.

કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ શુક્રવારે ફ્લાઇટ પકડી દિલ્હી જવા રવાના થયા હતા. એમ. કુમારસ્વામી સાથેના ડિનર પછી જેડીએસના ધારાસભ્યો પોતાના ઘર ચાલ્યા ગયા હતા

તો બીજી તરફ કોંગ્રેસ ક્વોટાના 21 ધારાસભ્યોમાં પોતાનું નામ સામેલ કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યો તરત જ દિલ્હી જવા રવાના થયા હતા. કર્ણાટકના એક વરિષ્ઠ ધારાસભ્યએ જણાવ્યું કે તેઓ પોતાના વિધાનસભા વિસ્તારમાં ફરી આવશે.

વધુમાં તેમણે કહ્યું કે 'હું મંત્રી પદ ડિઝર્વ કરૂં છું. પરંતુ દિલ્હીમાં મારો કોઈ ગોડફાધર નથી. હાઇ કમાન્ડરે મેરિટ પર ધ્યાન આપી મંત્રીની નિમણૂંક કરવી જોઇએ. જાતિ અને ક્ષેત્રને જોઇને નહિ.'

(6:18 pm IST)