News of Saturday, 26th May 2018
ઓમાનમાં વાવાઝોડામાં વધુ બે જહાજોની જળસમાધીઃ ખલાસીઓનો બચાવ
દ્વારકા-ખંભાળીયા, તા. ૨૬ :. ઓમાનમાં આવેલા વાવાઝોડાએ વધુ બે જહાજોનો ભોગ લીધો છે. ઓમાનના તલાલા બંદરે બે જહાજ ડૂબ્યા છે. જો કે બન્નેના ખલાસીઓનો બચાવ થયો છે. શાહએ શાબીર અને શકીના અલ યુસુફ નામના બન્ને જહાજ દરીયાના પાણીમાં ડૂબી ગયા છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના અન્ય ૯ જહાજ પણ સંપર્ક વિહોણા થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જો કે આ જહાજોના તમામ ખલાસીઓ સલામત છે.
(3:55 pm IST)