૧૪ વર્ષની માસૂમ સગીરાને તાહીર-સરફરાઝ-નિસારે પીંખી નાખીઃ ૧ ઝબ્બે
પોલિસે કંઇ પગલા નહિ લેતા હિણપત અનુભવતી માસૂમાએ જીવ દઇ દેતા હાહાકાર
બિજનોર તા.૨૫: ઉ.પ્રદેશમાં ૧૪ વર્ષની એક સગીરા પર તેના પડોશી અને બે મિત્રોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. તે સગીરાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. બાળાના પરિવારે આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક,પોલીસે બાળાની ફરિયાદ અંગે કોઇ પગલાં ન લેતા, તેણે અંતિમ નિર્ણય કરી લીધો હતો.
બાળાનો પડોશી અને મુખ્ય આરોપી તાહીરની પોલીસે આજે ધરપકડ કરી હતી. જયારે તેના બે મિત્રો, સરફરાઝ અને નિસાર હાલ નાસી છૂટયા છે
ઉ.પ્રદેશના શિવાલાકલાન પો.મથકની હદમાં આવેલ સિકંદર ઔરંગાબાદ ગામમાં આ ઘટના બની હતી. જયાં બાળા રાંધવા માટેની કોઇ ચીજ લેવા પડોશીને ત્યાં ગઇ ત્યારે તાહીર અને તેના મિત્રોએ બળાત્કાર કર્યો હતો. બાળાએ તેના માબાપને ઘટનાની જાણ કરતા તેમણે રાત્રે ફરિયાદ નોંધાવી હતી. મંગળવારે રાત્રે આ ઘટના બની હતી.