મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

પિતાના મુખાગ્નિ આપતા સમયે ખબર પડી કે મૃતદેહ અન્યનો છે

કોરોનાના હાહાકારમાં હોસ્પિટલની વધુ એક બેદરકારી : એમપીના ગ્વાલિયરની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે

ગ્વાલિયર, તા. ૨૬ : કોરોનાના વધી રહેલા કેસના કારણે મચેલા હાહાકાર વચ્ચે મધ્ય પ્રદેશના ગ્વાલિયરની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની બેદરકારીના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. એક દિવસ પહેલા હોસ્પિટલ પર કોવિડ દર્દીની આંખો કાઢી લેવાનો આરોપ લાગ્યા બાદ શનિવારે એક મોટી બેદરકારી સામે આવી હતી. કોરોનાગ્રસ્ત દર્દીના મોત બાદ તેના પરિવારજનોને બીજાનો મૃતદેહ આપી દેવામાં આવ્યો હતો. પરિવારજનોએ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે પૂરી તૈયારી કરી લીધી હતી. મુખાગ્નિ પહેલા જ્યારે પુત્રએ પિતાનો ચહેરો જોવા માટે કપડું હટાવ્યું તો તે આઘાત પામ્યો હતો. તે મૃતદેહ તેના પિતાનો નહીં અન્ય કોઈ વ્યક્તિનો હતો.

શનિવારે ઘટનાની જાણ થયા બાદ પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. તેઓ મૃતદેહને લઈને પાછા હોસ્પિટલ આવ્યા હતા અને મેનેજમેન્ટને જાણ કરી હતી. બે કલાક બાદ પરિવારજનો અને પુત્રને તેના પિતાનો મૃતદેહ આપવામાં આવ્યો હતો.

ગ્વાલિયરના રહેવાસી ૬૨ વર્ષીય છોટે લાલ કુશવાહ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા. કોરોનાનો ચેપ લાગ્યા બાદ તેઓ ચાર દિવસ પહેલા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ થયા હતા. સારવાર દરમિયાન શુક્રવાર અને શનિવાર દરમિયાન રાત્રે .૩૦ વાગ્યે તેમનું મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ઓક્સિજન મળવાના કારણે તેમનું મોત થયું છે.

પરિજનો જ્યારે હોસ્પિટલ પહોંચ્યા તો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે તેમને પિતાના નામે એક મૃતદેહ આપ્યો હતો. પરિજનોને જે મૃતદેહ આપવામાં આવ્યો તે સંપૂર્ણ રીતે પેક હતો. બહાર પિતાના નામની ચિઠ્ઠી લખેલી હતી. પરિજનો મૃતદેહ લઈને સ્મશાન પહોંચ્યા હતા. મૃતદેહને અર્થી પર રાખવામાં આવ્યો હતો. તમામ વિધી પૂરી કરી દેવામાં આવી હતી પરંતુ મૃતકના પુત્રનું મન માની રહ્યું હતું.

તે મુખાગ્નિ પહેલા અંતિમ વખત પિતાના દર્શન કરવા ઈચ્છતો હતો. જ્યારે મૃતકનો ચહેરો જોવા માટે બેગ ખોલવામાં આવી અને ચહેરા પરથી કપડુ હટાવવામાં આવ્યું તો પુત્રને મોટો આઘાત લાગ્યો હતો કેમ કે તે મૃતદેહ તેના પિતાનો હતો. હોસ્પિટલે તેમને કોઈ બીજાનો મૃતદેહ આપી દીધો હતો. તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં હાજર ડોક્ટરો અને મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી. ઘટનાની જાણ થતાં હોસ્પિટલના અધિકારીઓમાં હલચલ મચી ગઈ હતી. તેમણે છોટે લાલનો મૃતદેહ શોધવાની કામગીરી શરૂ કરી દીધી હતી. અંતે બે કલાક બાદ તેમનો મૃતદેહ મળ્યો હતો અને અંતિમ ક્રિયા માટે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

(8:03 pm IST)