મુખ્ય સમાચાર
News of Monday, 26th April 2021

રાજકોટમાં સામાકાંઠે ચંપકનગરમાં લૂંટારૂ ત્રિપુટી ત્રાટકી : વેપારી મોહનભાઈ ડોડીયાના લમણે પીસ્તોલ તાકી, મારકૂટ કરી ૧ કરોડના સોનાની સનસનાટી ભરી લૂંટ : જતા જતા હિન્દી ભાષી લૂંટારૂઅો વેપારીને તિજારીમાં પૂરતા ગયા

રાજકોટ : શહેરમાં સામાકાંઠે ચંપકનગર મેઈન રોડ પર શિવ જવેલર્સ નામના શોરૂમમાં ધોળે દિવસે ત્રણ હિન્દીભાષી લૂંટારૂ ત્રાટકી શોરૂમના માલિક મોહનભાઈ વીરમભાઈ ડોડીયાના લમણે રિવોલ્વર જેવા હથિયારો તાકી ઍકાદ કરોડના સોનાની લૂંટ કરી જતાં સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઅો, ક્રાઈમ બ્રાન્ચ અને બી ડીવીઝન પોલીસનો કાફલો દોડી ગયેલ છે.

લૂંટારૂઅોઍ પહેલા દુકાનમાં ગ્રાહક તરીકે આવી અંગૂઠી જાવા માંગી હતી. લૂંટારૂઅો હિન્દી ભાષા બોલતા હતા. ઍ પછી અચાનક વેપારીના લમણે હથિયારો તાકી મારકૂટ કરી શોકેશમાંથી ઍકાદ કરોડના દાગીનાની લૂંટ કરી લીધી હતી. ઍ પછી વેપારી મોહનભાઈને મોટી તિજારીમાં પૂરીને ત્રણેય લૂંટારૂ ભાગી ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં આ લૂંટારૂ બાઈક પર આવ્યાનું દેખાયુ છે. મોહનભાઈનું નિવાસસ્થાન નજીકમાં જ હોય તેમના ધર્મપત્નિ ચા દેવા આવ્યા ત્યારે બધુ વેરવિખેર જાવા મળતા અને તિજારીમાંથી અવાજ આવતા તેમણે તિજારી ખોલ્યા બાદ તેમાંથી અંદરથી તેમના પતિ નીકળતા હેબતાઈ ગયા હતા. ઘટનાની વિગતો મોહનભાઈ ડોડીયાના પુત્ર સિદ્ધાર્થભાઈઍ જણાવી હતી. આ લખાય છે ત્યારે નાકાબંધી કરવામાં આવી છે.

(6:42 pm IST)