મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કમલહાસને પોતાના ઘરને હોસ્પિટલમાં પરિવર્તિત કરવાની રજૂઆત કરી દીધી

ટ્વીટ કરીને કહ્યું રોગીઓના ઇલાજ માટે અસ્થાયી હોસ્પિટલમાં પરિવર્તિત કરવા 8કરવ ઇચ્છુક

મુંબઈ : કોરોના વાયરસના ડરથી સામાન્ય જનતાની સાથે બોલિવૂડના સેલિબ્રિટિસ પણ ઘરમાં કેદ છે અને ઘરે રહીને આ ખતરનાક વાયરસ સામે જંગ લડી રહ્યાં છે. આ બધાંની વચ્ચે બોલિવૂડના જાણીતા અભિનેતા કમલ હસને કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના ઈલાજ માટે પોતાના ઘરને જ હોસ્પિટલમાં પરિવર્તિત કરવાની રજૂઆત કરી દીધી છે. 

કમલ હસને એક ટ્વિટ કરીને કહ્યું કે, તેમની પાર્ટી મક્કલ નીધિ માઇમ (MNM)માં ડોક્ટરોની મદદથી તે પોતાના ઘરને કોરોના વાયરસ સંક્રમિત રોગીઓના ઇલાજ માટે અસ્થાયી સમય માટે હોસ્પિટલમાં પરિવર્તિત કરવા માંગે છે અને તેમણે એમ પણ કહ્યું કે સરકાર જો આવું કરવાની મંજૂરી આપે છે તો તે આવું કરવા તૈયાર છે

(8:05 pm IST)