મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કોરોના વાયરસનો કહેર : કાશ્મીરમાં 65 વર્ષના વૃદ્ધનું મૃત્યુ : દેશમાં મૃત્યુઆંક વધીને 14 થયો

શ્રીનગરના હૈદરપુરાના મૃતકના સંપર્કમાં આવનાર અન્ય ચાર લોકોના રિપોર્ટ પોઝિટિવ

કોરોના વાયરસનો કહેર ભારતમાં પણ વધતો જાય છે. કોરોના વાયરસના લીધે કાશ્મીરમાં પહેલું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે ગુરૂવાર સવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક 65 વર્ષના વૃદ્ધનું મોત થયું છે. મુંબઇમાં કોરોના વાયરસના બીજા બે દર્દી સામે આવ્યા છે.

 શ્રીનગરની સીડી હોસ્પિટલે પુષ્ટિ કરી છે કોરોના વાયરસના દર્દીનું આજે મોત થયું છે. શ્રીનગરના હૈદરાપુરમાં આ વ્યકતિના સંપર્કમાં આવનારા બીજા ચાર લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે તેમ જમ્મુ-કાશ્મીરના પ્રિન્સિપાલ સેક્રેટરીએ જણાવ્યું છે.

  શ્રીનગરમાં દર્દીના મોતની સાથે દેશમાં કોરોના વાયરસથી દેશમાં કુલ 14 લોકોના મોત થયા. જ્યારે દેશમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 629 પર પહોંચી ગઇ છે.

(10:52 am IST)