મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

ભારતમાં કોરોનાથી કુલ 13 લોકોના મૃત્યુ : કુલ 622 લોકો સંક્રમિત : 43 લોકો સાજા થઇ ગયા

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાઇરસનો કેર યથાવત છે, આ પરિસ્થિતિ વચ્ચે કેસોમાં પણ ઝડપથી વધારો થઇ રહયો છે, દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૬૨૨ ઉપર પહોંચી ગઇ છે. જ્યારે તામિલનાડુમાં પહેલુ મોત નિપજ્યું છે, જ્યારે ગુજરાતમાં વધુ ૧ મોત થતાં દેશનો મૃત્યુઆંક ૧૩ સુધી પહોંચી ગયો છે. વાઇરસની સૌથી વધુ અસર છે તે મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને હવે 124 પર પહોંચી ગઇ છે. તો બીજી તરફ ૪૩ લોકો સાજા થઇને ઘરે પરત પણ ફર્યા છે

(10:32 am IST)