મુખ્ય સમાચાર
News of Thursday, 26th March 2020

કાબુલમાં શીખ ગુરુદ્વારા ઉપર આતંકી હુમલો

કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા શીખ ગુરુદ્વારા ઉપર આજ બુધવારના રોજ આતંકી હુમલો થયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.હુમલા સમયે ગુરુદ્વારામાં શીખો પ્રાર્થના માટે ભેગા થયા હતા.જાનહાની અંગે માહિતી મેળવાઈ રહી છે.હુમલાખોરોને પકડી પાડવા ગુરુદ્વારા વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે કાબુલમાં હવે માત્ર 300 જેટલા જ શીખ પરિવારો રહ્યા છે.જેઓ સતત આતંકી હુમલાના ભય હેઠળ જીવી રહ્યા છે.આ અગાઉ પણ આતંકી હુમલાથી 13 શીખોના મોત થયા હતા.

(9:33 am IST)