મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

સશસ્ત્ર હુમલાને અસફળ કરવા માટે પહેલા જ હુમલો કરી કરશું: UNમાં ભારતે આપી પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી

ભારતે પુલવામા સહિત અનેક આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી : ભારતે  સંયુક્ત રાષ્ટ્ર (UN)ની એક બેઠકમાં કહ્યું કે અન્ય દેશના નૉન સ્ટેટ એક્ટર્સ  તરફથી સશસ્ત્ર હુમલાને અસફળ કરવા માટે પહેલા જ હુમલો કરી શકીએ છીએ. ભારતે આ સાથે જ પુલવામા સહિત અનેક આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો જે પાડોશી દેશની જમીનથી તેના પર કરવામાં આવ્યો છે. ભારતનો ઇશારો પાકિસ્તાન તરફ હતો.

સંયુક્ત રાષ્ટ્ર માટે ભારતના ઉપ સ્થાયી પ્રતિનિધિ રાજદ્વારી કે. નાગરાજ નાયડૂએ મેક્સિકો દ્વારા આયોજિત 'અરિયા ફૉર્મ્યુલા' બેઠકમાં આ વાત કહી. તેમણે કહ્યું કે, બિન રાજ્ય તત્વો જેવા કે આતંકવાદી સંગઠન યજમાન દેશના દૂરના વિસ્તારોથી અન્ય દેશો પર અવાર-નવાર હુમલો કરે છે

નાયડૂએ કહ્યું કે, આના પર મોટી સંખ્યામાં દેશોનું માનવું છે કે અન્ય દેશથી ગતિવિધિને અંજામ આપી રહેલા કોઈ બિન રાજ્ય તત્વોની વિરુદ્ધ બળનો ઉપયોગ કરવામાં આવી શકે છે

જો બિન રાજ્ય તત્વોએ દેશની વિરુદ્ધ સતત હુમલા કર્યા છે, જો તેને સમર્થન આપી રહેલો દેશ બિન રાજ્ય તત્વોના ખતરાને પહોંચી વળવાની ઇચ્છા નથી રાખતો, અથવા દેશ તેનો સાથ આપી રહ્યો હોય અથવા તેના દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું હોય, તો આવા હુમલાને રોકવા માટે પહેલા જ હુમલો કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, બીજા દેશોમાં કોઈ દેશ કોઈ અન્ય દેશથી રાજ્યેત્તર તત્વ તરફથી નજીકના સશસ્ત્ર હુમલાને અસફળ કરવા માટે પહેલાથી જ હુમલો કરવા માટે બાધ્ય હોઈ શકે છે

એરિયા ફૉર્મ્યુલા બેઠકના સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સમગ્ર સુરક્ષા તંત્રને જાળવી રાખવા આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત બળનો ઉપયોગ, રાજ્યેત્તર તત્વો અને કાયદેસર આત્મરક્ષા પર સુરક્ષા પરિષદની ઔપચારિક બેઠકો છે. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવ 1368 (2001) અને 1373 (2001)એ ઔપચારિક રીતે આ પક્ષ રાખ્યો છે કે આતંકવાદી હુમલાને રોકવા માટે આત્મરક્ષાનું પગલું ઉઠાવવામાં આવી શકે છે.

(9:22 am IST)