મુખ્ય સમાચાર
News of Friday, 26th February 2021

તમિલનાડુમાં શિવકાશીમાં ફટાકડા ફેકટરીમાં ભીષણ આગ : છ લોકોના મોત : અનેક ઘાયલ

ફાયર બ્રિગેડે રિસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું: આસપાસની ઇમારતો ખાલી કરાવાઈ

તમિલનાડુનાં વિરૂધુનગરમાં એક ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આંગ લાગી  હતી આ આગમાં છ લોકોના મોત થયા છે, ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓ આંગને નિયંત્રિત કરવામાં લાગી છે,

આગનાં કારણે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, આ પહેલા પણ આ જ મહિનામાં વિરૂધુનગરમાં જ એક ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં 11 જણાનાં મોત તથા 36 જણા ઘાયલ થયા હતાં.

મળતી માહિતી મુજબ ગુરૂવારે વિરૂધુનગરનાં સિવકાસી વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક ફાંટી નિકળતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો અને લોકો દોડાદોડ કરવા લાગ્યા,ફાયર બ્રિગેડે રિસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું, તે સાથે જ ઇમારતો ખાલી કરાવી હતી, જો કે આગ ફાટી નિકળવાનાં કારણો જાણી શકાયા નથી.

(12:00 am IST)