માનસિક બિમારી અને બ્લડપ્રેશરથી બચાવશે ગાયના ગોબરથી બનેલ ચરણ પાદુકાઓ
ગોબરના ચપ્પલો હવે માનસિક બિમારીઓ અને રકતચાપની સમસ્યાઓથી બચાવશે. આંતરરાષ્ટ્રીય શિવરાત્રી મહોત્સવમાં સરકારી પ્રદર્શની પશુપાલન વિભાગએ સ્ટોલમા આ વિશેષ ચપ્પલ પ્રદર્શિત કર્યા છે. આને વૈદિક ચરણ પાદુકાનુ નામ આપવામાં આવ્યુ છે. દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વમાં ગોબરથી બનેલી આ પ્રથમ ચરણ પાદુકા છે. આના માંસપેશીઓના ખેંચાણથી મુકિત મળશે અને માનસીક બિમારીઓથી બચાવ હોવા ઉપરાંત બેચેની, ચીડિયાપણામાં પણ અસરકારક છે આધુનિક વિજ્ઞાનમાં પણ ગોબરના આ ગુણને માનવામાં આવે છે.
ભીષણ રોગકારક બેકટેરિયા વાયરસ માટે તો ગોબર નષ્ટ કરવામાં કારગં઼ટ છે.
આ ગુણને કારણે થોડા વર્ષો પહેલા ઇટાલીના વૈજ્ઞાનિકોએ એક શોધમા કહ્યું હતુ કે ટીવી સેનેટોરિયમમા ઓછામાં ઓછા એક ભાગને તો ગોબરથી લીપી રાખવામાં આવે તો ટીબીના કીટાણુઓ જલ્દીથી નાશ પામે છે. આ વૈદિક ચરણ પાદુકા પહેરનાર વ્યકિતને વિભિન્ન પ્રકારના લાભ મળે છે. અને રોગોથી મુકિત મળે છે. વૈદિક ચરણ પાદુકાની કિંમત ૭૦૦ રૂપીયા રાખવામાં આવી છે.