મુખ્ય સમાચાર
News of Monday, 26th February 2018

શ્રીદેવીની હત્યા થઈ છે.:જી પ્રધાનના ટ્વિટ ખળભળાટ મચાવી રહ્યા છે.:અત્યંત ભરોસાપાત્ર સંપર્કોને ટાંકીને દેશના ટોચના ડેટા સાયન્ટિસ્ટ અને સ્ટ્રેટેજીસ્ટ જી પ્રધાને છાતી ઠોકીને કહ્યું છેકે તમામ સર્કમસ્ટનસીઝ જોતા નિશ્ચિતપણે શ્રીદેવીની હત્યા થઈ છે

જી પ્રધાને સુનંદા પ્રકરણ ટાંકીને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે પદ્ધતિએ મોત થયું છે. સુનંદાનું મોત  ઘર આંગણે હોટેલમાં થયેલ જ્યારે શ્રીદેવીનું મોત  વિદેશની હોટેલમાં થયું છે.

તેમણે શ્રીદેવીના પતિ અને ફિલ્મ નિર્માતા બોની કપૂરને કેટલાક વેધક પ્રશ્નો પૂછ્યા છે.
શા માટે બોની કપૂર 21મીએ ભારત આવેલ અને 24 મીએ ફરી દુબઈ આવ્યો? કારણ શું ?

શ્રી દેવીની તબિયત સારી નોતી તો તેને એકલી છોડીને શા માટે ગયો ?

જ્યારે શ્રી દેવીએ તેને કોલ કર્યો ત્યારે બોનીનો ફોન સ્વિચ ઓફ હતો કે ઉપાડ્યો નોતો કે આઉટ ઓફ નેટવર્ક હતો ?

શ્રીદેવી જેવી વ્યક્તિઓ એકલી કદાપિ મુસાફરી કરતી નથી. તો તેનો એટેન્ડન્ટ ક્યાં હતો ?
હવે આખી બાબત તપાસનીશો ઉપર છોડું છું. વિશેષ જ્યારે પણ મળશે ત્યારે આપતો રહીશ તેમ જી પ્રધાન નોંધે છે.

(1:35 am IST)