યસ બેંક કૌભાંડઃ દિલ્હી હાઈકોર્ટે રાણા કપૂરને જામીન આપ્યા :જ્યારે તેઓ યસ બેન્કના ચેરમેન હતા ત્યારે HDILના પ્રમોટર્સની ₹200 કરોડથી વધુની લોન મંજૂર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી : ટ્રાયલ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો
ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે યસ બેંકના સ્થાપક રાણા કપૂરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવી રહેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા.
આ આદેશ જસ્ટિસ સુધીર કુમાર જૈને આપ્યો હતો. તેની વિગતવાર નકલની રાહ જોવાઈ રહી છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સપ્ટેમ્બરમાં ₹466 કરોડના બેંક કૌભાંડમાં કપૂર અને અવંથા ગ્રૂપના પ્રમોટર ગૌતમ થાપર પર આરોપ મૂક્યા છે.
ગયા વર્ષે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં કપૂરનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, તેમ છતાં તપાસ દરમિયાન છેતરપિંડીમાં તેમની સંડોવણી બહાર આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ટ્રાયલ કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે ન્યાયાધીશે અવલોકન કર્યું હતું કે તેની સામેના આરોપો ગંભીર છે. જોકે, 15 સહઆરોપીઓને જામીન મળ્યા હતા
EDએ અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કપૂર ગુનાની આવકના નિર્માણમાં નિમિત્ત હતા.
બીજી તરફ રાણાએ દાવો કર્યો હતો કે તપાસ દરમિયાન એજન્સી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી ન હતી અને દલીલ કરી હતી કે ચાર્જશીટ પહેલેથી જ દાખલ કરવામાં આવી હોવાથી, તેને કસ્ટડીમાં રાખવાનો અર્થ નથી.
ટ્રાયલ જજે અરજીને ફગાવી દેતા અવલોકન કર્યું હતું કે 15 સહ-આરોપીઓ ફરિયાદ મુજબ માત્ર "હાથ" હતા અને તેઓ માત્ર રાણા અથવા થાપર પાસેથી તેમના એજન્ટ તરીકે સૂચનાઓ લેતા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.