રાજ્યમાં ક્યાંય પણ લોકડાઉન કે કરફ્યુ લગાડવાની કોઈ બાબત હાલ સરકારની કોઈ વિચારણા નથી
સમાચારો અને વાતો સોશીયલ મીડિયામાં વહેતા થતા અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કરી સ્પષ્ટતા
અમદાવાદ : રાજ્યમાં લોક ડાઉન ફરીથી થવાનું છે તેવા જે સમાચારો અને વાતો સોશીયલ મિડિયા માં ચાલી રહ્યા છે તેનું સ્પષ્ટ ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા માં નથી
તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યના જે ચાર શહેરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત માં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી જે કરફયૂ અમલમાં છે તે યથાવત રહેશે
આ સિવાય રાજ્યમાં ક્યાંય પણ લોક ડાઉન કે કરફ્યુની બાબત પણ રાજ્ય સરકારની કોઈ વિચારણા માં નથી.
અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે સૌ નાગરિકોને સોશીયલ મીડિયામાં ચાલતા આ સમાચારથી ગેરમાર્ગે નહિ દોરાવાની તેમજ આવા પાયા વિનાના સમાચારો અંગે કોઈ ગભરાટ પણ ના રાખવાની અપીલ કરી છે