ચારિત્રય અંગે શંકાશીલ પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી : પોતે પણ ગળાફાંસો ખાઇ આત્મ હત્યા કરી
શંકાનું કોઇ ઓસડ નથી
નવી દિલ્હી,તા.૨૫ : રાજધાની દિલ્હીમાં એક સનસનીભરી ઘટના બનતા ચકચાર મચી ગયેલ. પૂર્વી દિલ્હીના ન્યુ અશોકનગર વિસ્તારમાં એક ફલેટમાંથી પતિ-પત્નીની લાશ મળેલ. જે સોની (૩૫) અને ધમેન્દ્ર (૪૦)ની હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. પોલીસને કોઇ સુસાઇડ નોટ મળી નથી. સોનીનો મૃતદેહ પલંગ ઉપરથી જ્યારે ધમેન્દ્ર પંખા ઉપર લટકતો મળેલ. પોલીસની પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યા મુજબ ધમેન્દ્ર પત્નિ સોનીના ચારિત્રય પર શંકા કરતો હતો. પોલીસને શંકા છે કે આ કારણથી જ ધમેન્દ્રએ ઘટનાને અંજામ અપ્યો હતો. બન્નેને ત્રણ બાળકો છે. નોઇડામાં ઇલેકટ્રીશ્યનનું કામ કરતો હતો, જ્યારે સોની હોસ્પિટલમાં આયા તરીકે કામ કરતી હતી. બાજુમાં જ સોનીનું પીયર હતુ, જેથી તે બાળકોને રાત્રે ત્યાં સુવા મોકલતી. સવારે ચા-નાસ્તો પણ બન્ને સોનીના પિયર જ કરતા હતા.
શનિવારે સવારે જ્યારે સોની-ધમેન્દ્ર ચા પીવા ન આવતા સોનીના ભાઇ દીપક તેમની ઘરે પહોંચ્યો હતો. દરવાજો ઘણીવાર ખખડાવવા છતા ન ખુલતા દીપકે બારીમાંથી જોયું તો બહેનની લાશ પલંગ ઉપર હતી અને બનેવી ધમેન્દ્ર પંખાથી લટકતા દેખાયેલ ત્યારબાદ પોલીસને જાણ કરાયેલ.