મુખ્ય સમાચાર
News of Sunday, 25th September 2022

મોડી રાત્રે મુખ્યમંત્રી પ્રશ્ને સર્જાયેલ કટોકટી ટાળવા કોંગીના દિગ્ગજ નેતાઓ અશોક ગેહલોતના નિવાસ્થાને પહોંચ્યા

જયપુર: કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, અજય માકન, સચિન પાયલટ બિહારના કોંગી મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે અગત્યની બેઠક માટે પહોંચી ગયા છે. સચિન પાયલોટને નવા મુખ્યમંત્રી બનાવવાની વિરુદ્ધમાં કોંગ્રેસના ૧૨૫ માંથી ૮૨ ધારાસભ્યો રાજીનામાં આપી દેવા તૈયાર થઈ જતા કોંગ્રેસમાં નવી કટોકટી સર્જાયેલ છે, તેનું નિવારણ કરવા મોડી રાત્રે અગત્યની મીટીંગ ગહેલોતના નિવાસસ્થાને શરૂ થઈ છે. સંભવત: ઉકેલરૂપે ગેહલોત જૂથના શાંતિ ધારીવાલને નાયબ મુખ્યમંત્રી પદ આપવા ઉપરાંત ગૃહ મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના છે.

 

(9:33 pm IST)