News of Sunday, 25th September 2022
ઉત્તર પ્રદેશના અલીગઢમાં ફાળો ઉઘરાવી પોતાના ખેતરમાં બનાવેલ મસ્જિદ વેચી નાખી: અસલમ સહિતના આરોપીઓ ફરાર
ઉત્તર પ્રદેશના અલીગઢ નજીક ચાર વર્ષ પહેલા ફાળો ઉઘરાવી મોહમ્મદ અસલમ નામના વ્યક્તિએ દાનના પૈસાથી પોતાના ખેતરમાં મસ્જિદ બનાવી અને પછી તેને વેચી દીધી. પ્રશાસનને મસ્જિદના નિર્માણની જાણ પણ ન હતી. આરોપીઓ ફરાર થઈ ગયા છે. ૧૯૯૨ના કાયદા હેઠળ પ્રશાસનની પરવાનગી વિના કોઈપણ મસ્જિદ કે મંદિરનું નિર્માણ કરી શકાતું નથી. કલેકટર પ્રશાસને તેમાં સામેલ લોકો સામે કેસ નોંધવાના આદેશ આપ્યા છે. ફાળો ઉઘરાવનાર અસલમ સહિતના આરોપીઓ ફરાર થઈ ગયા છે.
(6:01 pm IST)