News of Tuesday, 25th September 2018
પાકિસ્તાનના શીખ નેતા ચરણજીત સિંહના હત્યારા બંને આરોપીઓ જામીન ઉપર મુક્ત
પેશાવર :પાકિસ્તાનના લોકપ્રિય શીખ નેતા 52 વર્ષીય ચરણજીત સિંહની પેશાવર મુકામે 29 મે ના રોજ હત્યા કરવાના આરોપી 2 શખ્શોને કોર્ટએ જામીન ઉપર મુક્ત કરી દીધા છે. બચાવ પક્ષના વકીલના જણાવ્યા મુજબ આ બંને આરોપીઓ વિરુદ્ધ મૃતકના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવાઇ નહોતી.
ઉલ્લેખનીય છે કે પેશાવરમાં છેલ્લા થોડા સમયથી શીખોની હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે.તેમજ આ વિસ્તારમાં આવેલા શીખોના ધાર્મિક સ્થાનો ઉપર પણ હુમલાઓ થવાની ઘટનાઓ વધી રહી છે. તારિક તથા શાહીર નામક આ આરોપીઓએ ચરણજીત સિંહ ઉપર ગોળીબાર કરી મોત નિપજાવ્યાનો આરોપ છે.
(6:24 pm IST)