જાહેર ખુલાસો - "અકિલા" મેનેજમેંટ, રાજકોટ
અકિલાના વોટ્સએપ પેઈજ - સોશ્યલ મીડિયા આવૃતિનો ડુપ્લિકેટ લોગો બનાવીને દુરુપયોગ કરી કોઈ સમાજ વિરોધી તત્વોએ ફેક ન્યૂજ બનાવીને સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યાનું આમારા ધ્યાનમાં આવ્યું છે.
"માં ભવાનીના ભવ્ય મંદિર બાબતે સમગ્ર રાજપૂત સમાજમાં લેવાયો મહત્વનો નિર્ણય" શીર્ષક હેઠળ, ફેક - ખોટા સમાચાર સોશ્યલ મીડિયામાં વહેતા કરાયા છે. જેની સાથે "અકિલા" ને કશું લાગતું વળગતું નથી, જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે. જે સોશ્યલ મીડિયા ગ્રૂપમાં આ ફેક - ખોટા સમાચાર વહેતા થયા છે તેના નંબર સહિતના ની સામે અમે કાયદેસરની ફરિયાદ રાજકોટ પોલીસ કમિશ્નરશ્રીને કરી છે અને આવા સમાજ વિરોધી તત્વો સામે આકરા લેવા અપીલ કરી છે.
- "અકિલા" મેનેજમેંટ, રાજકોટ