મુખ્ય સમાચાર
News of Monday, 25th June 2018

સંઘે મને આમંત્રણ આપ્યુ હોત તો હું પણ જતો : દિગ્વિજયસિંહ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના સંઘના કાર્યક્રમમમાં હાજરી આપવાનો દિગ્વિજયસિંહે કર્યો બચાવ

કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સંઘ કાર્યાલય જવાના નિર્ણયનો બચાવ કરી તેમનો પક્ષ લીધો છે. દિગ્વિજયસિંહે પ્રણવ મુખર્જીના આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપવા અંગે જણાવ્યુ હતું કે, જો આરએસએસ મને આમંત્રણ આપતુ તો હું પણ તે કાર્યક્રમમાં ગયો હોત

   કોંગ્રેસના વરીષ્ઠ નેતા દિગ્વિજયસિંહનુ આ નિવેદન મધ્યપ્રદેશની મહત્વની વિધાનસભાની ચુંટણી પહેલા આવ્યુ છે, જેને લઈ રાજકારણ ગરમાયુ છે. જોકે દિગ્વિજયસિંહે આરએસએસ પર આતંકવાદને વધારવાનો આરોપ પણ લગાવ્યો છે.

(8:30 pm IST)