કુલગામમાં સેનાને મોટી સફળતા : બે આતંકી ઠાર
સમગ્ર વિસ્તારનો ઘેરાવો કરીને સર્ચ ઓપરેશન શરૂ
શ્રીનગર તા. ૨૫ : કાશ્મીરના કુલગામના મંજગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. અથડામણ આજે સવારે શરૂ થયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જેમાં લશ્કરના બે આતંકી ઠાર મરાયા છે તેમજ ૩૪ રાષ્ટ્રીય રાઈફલ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને કુલગામ પોલીસે તેમને ઙ્ગઘેર્યા હતા. જો કે હજુ સુધી ખબર પડી શકી નથી કે કેટલા આતંકવાદી હતા.ઙ્ગ
આ પહેલા ૧૯ મી મેના રોજ શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં સુરક્ષાદળોએ ૨ આતંકીઓને ઠાર માર્યા હતા. ૧૮ મેની રાતે ૨ વાગ્યે ઓપરેશન શરૂ થયું હતું. વધારે વસ્તીવાળા નવાકદલમાં હિઝબુલ મુજાહિદ્દીનના ૨ આતંકી સંતાયા હતા, જેમાંથી એક અલગાવવાદી સંગઠન તહરીક-એ-હુર્રિયતના પ્રમુખ મોહમ્મદ અશરફ સહરાઈનો દીકરો જૂનૈદ પણ હતો. મળતી માહિતી પ્રમાણે, ૨૯ વર્ષનો જૂનૈદ તેના સાથી અહેમદ શેખ સાથે અહીંયા ફસાયો હતો.