લોકસભા ચૂંટણી પછી ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં હિંસા : ભાજપનાં કાર્યકરોની હત્યાનો સિલસીલો યથાવત
પશ્ચિમ બંગાળના નાદિયામાં ભાજપ કાર્યકરની હત્યા : ત્રિપુરામાં ભાજપ કાર્યકર પર હુમલો :મિથૂ નામના વ્યક્તિનું મોત
લોકસભા ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં હિંસા થઇ છે છેલ્લા ત્રણ દિવસથી બંને રાજ્યોના ઘણા શહેરોમાં હિંસક ઘટનાઓ બની છે. આ દરમિયાન ભાજપના બે કાર્યકરોની હત્યા પણ કરી દેવાઇ છે
. પશ્ચિમ બંગાળના નાદિયામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને એક ભાજપ કાર્યકરની હત્યા કરી નાંખી હતી. જે બાદ ભાજપના કાર્યકરોએ રેલવે ટ્રેક પર ધામા નાંખીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.
બીજી તરફ ત્રિપુરામાં પણ ભાજપ કાર્યકર પર હુમલો થતાં મિથૂ નામના વ્યક્તિનું મોત નિપજ્યું. બંને રાજ્યોમાં ઘણા સ્થળોએ ભાજપ અને ટીએમસીના કાર્યકરો તેમજ ભાજપ અને ડાબેરી પક્ષોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. જેમાં 150 જેટલા લોકો ઘાયલ થયા છે. ભાજપનો આરોપ છે કે બંગાળ ટીએમસી અને ત્રિપુરામાં ડાબેરી પક્ષો હિંસા ફેલાવી રહ્યા છે.