News of Saturday, 25th May 2019
વીઆઇપી કલ્ચર છોડીને સાંસદોને સામાન્ય માનવીની જેમ જ લાઈનમાં ઉભા રહેવા નરેન્દ્રભાઈ મોદીની તાકીદ
મીડિયા સાથે વાતચીત કરવામાં સંયમ રાખવો:પબ્લિસિટી માટે કરાયેલા નિવેદનો મુશ્કેલી સર્જે છે.
નવી દિલ્હી :જ્યાં પણ જરૂર પડે સાંસદો પણ લાઈનમાં ઉભા રહે અને મીડિયા સાથે વાતચીત કરવામાં સંયમ રાખવો તેવી સલાહ નરેન્દ્રભાઈ મોદીએ આપી છે
આ ઉપરાંત વીઆઇપી કલ્ચર છોડી ને સાંસદોને સામાન્ય માનવીની જેમ જ લાઈનમાં ઉભા રહેવા પણ મોદીની તાકીદ.કરી છે
મીડિયા સાથે વાતચીત કરવામાં સંયમ રાખવો તેવી એનડીએના નેતાઓને નરેન્દ્રભાઇ મોદીએ સલાહ આપી છે તેમજ પબ્લિસિટી માટે કરાયેલા કેટલાક નિવેદનો અમારા માટે મુશ્કેલી સર્જે છે.તેમ જણાવ્યું હતું
નરેન્દ્રભાઈએ કહ્યું કે અમારું સૂત્ર છેરાષ્ટ્રીય મહત્વાકાંક્ષા અને પ્રાદેશિક આકાંક્ષાઓ.
(9:09 pm IST)