મનોજ તિવારીએ શિલા દીક્ષિતના ખાસ આશીર્વાદ લીધા
જીત બાદ શિલા દીક્ષિતને મળવા પહોંચ્યા
નવી દિલ્હી, તા.૨૫ :પાટનગર દિલ્હીની ઉત્તરપૂર્વીય સીટથી લોકસભા ચૂંટણી ૨૦૧૯માં જીત બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી આજે પોતાના હરીફ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાતના કેટલાક ફોટાઓ પણ સપાટી ઉપર આવ્યા છે જેમાં શીલા દીક્ષિતના આશીર્વાદ લેતા મનોજ તિવારી નજરે પડી રહ્યા છે. નોર્થ ઇસ્ટ દિલ્હીની બેઠક ઉપર મનોજ તિવારીએ શીલા દીક્ષિતને કારમી હાર આપી છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત હાલમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ છે. આ વખતે તેઓ નોર્થઇસ્ટ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં હતા પરંતુ મનોજ તિવારીના હાથે તેમની હાર થઇ છે. મનોજ તિવારીએ અહીં તેમને ૩૬૬૧૦૨ મતે હાર આપી છે. મનોજ તિવારીને કુલ ૭૮૭૭૯૯ મત મળ્યા હતા જ્યારે શીલા દીક્ષિતને આ સીટ ઉપર ૪૨૧૬૯૭ મત મળ્યા હતા.