મુખ્ય સમાચાર
News of Thursday, 25th April 2019

મોદીની માતા પર વાંધાજનક પોસ્ટ લખનારની સામે કેસ

મુંબઇ,તા.૨૫: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા પર કહેવાતી રીતે વાંધાજનક ટીપ્પણી માટે એક વ્યક્તિની વિરૂધ્ધ મામલો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી.પોલીસે કહ્યું હતું કે ભારતીય જનતા યુવા મોરચો (ભાજયુમો)ની અંધેરી એકમના મહામંત્રી નિતેશ તિવારી (૨૭)ની ફરિયાદના આધાર પર કેટલાક દિવસ પહેલા અંધેરી પોલીસ સ્ટેશનમાં મામલો દાખલ કરાવ્યો છે.

પોલીસે ફરિયાદના હવાલા પરથી કહ્યું છે કે અનિલ બાવિસ્કર નામના એક વ્યક્તિએ ખુદના દ્વારા સંચાલિત ફેસબુક ગ્રુપ પેજ પર વડાપ્રધાનની માતા હીરાબેનને લઇ વાંધાજનક પોસ્ટ કરી હતી પોલીસનું કહેવુ હતું કે આરોપીની વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની સંબંધિત ધારા હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.

વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે ફેસબુક પ્રોફાઇલ નકલી પ્રતીત થાય છે અને તેને ઉત્તરપ્રદેશથી સંચાલિત કરવાની શંકા છે તેમણે કહ્યું કે પ્રોફાઇલને બ્લોક કરી દેવામાં આવ્યો છે અને અમે વ્યક્તિની માહિતી લગાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ  તેમણે કહ્યું કે મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

(3:32 pm IST)