મુખ્ય સમાચાર
News of Thursday, 25th April 2019

'અકિલા' પરિવારના મોભીઓનું સ્વપ્ન સાકાર

'અકિલા ઇન્ડિયા ઈવેન્ટ્સ' બાદ 'અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સ': શ્રી નિમિષભાઈ ગણાત્રાનો આગવો દ્રષ્ટિકોણ

રાજકોટ, તા. ૨૪ :. સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડા - રબારિકાથી અમેરિકા સુધી લોકપ્રિયતા ધરાવતા સાંધ્ય દૈનિક 'અકિલા' પુસ્તક પ્રકાશનની દુનિયામાં પદાર્પણ કરી રહ્યું છે. આગામી તા. ૭ના 'અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સ'નું લોન્ચિંગ થનાર છે.

ગણાત્રા પરિવાર તથા 'અકિલા' પરિવારના મોભીઓ શ્રી કિરીટભાઈ ગણાત્રા, શ્રી અજિતભાઈ ગણાત્રા અને શ્રી રાજુભાઈ ગણાત્રાએ ખૂબ સંઘર્ષ કરીને 'અકિલા'ને લોકપ્રિયતાની ટોચ પર પહોંચાડયંુ છે. ત્રણે ભાઈઓ ગીત-સંગીત અને સાહિત્યના શોખીન છે. નવી પેઢીના શ્રી નિમિષભાઈ ગણાત્રાએ પરિવારના મોભીઓના સ્વપ્ન સાકાર કર્યા છે. થોડા સમય પૂર્વે 'અકિલા ઇન્ડિયા ઈવેન્ટ્સ'નું લોન્ચિંગ કરીને ગીત-સંગીતની દુનિયામાં પદાર્પણ કર્યુ હતું. આગામી તા. ૭ના મોભીઓનું બીજુ સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યા છે. 'અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સ'નું લોન્ચિંગ થશે.

જો કે 'અકિલા'ના એકઝીકયુટીવ એડિટર શ્રી નિમિષભાઈ ગણાત્રા વિનમ્રતાથી કહે છે કે, વડીલોના આશીર્વાદથી જ બધું શકય બને છે.

શ્રી નિમિષભાઈનો દ્રષ્ટિકોણ આગવો છે. 'અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સ' દ્વારા અકિલા-ગણાત્રા પરિવારના મોભીઓના સ્વપ્ન સાકાર થશે જ, સાથે સમાજને શ્રેષ્ઠ પુસ્તકો સરળતાથી ઉપલબ્ધ બનશે અને નવા સર્જકોને પ્લેટફોર્મ પ્રાપ્ત થશે.

 

(11:44 am IST)