જેટ એરવેઝમાંથી નરેશ ગોયલનું રાજીનામુ : હવે કંપનીને બેકો પાસેથી 1500 કરોડ મળવા સંભવ
કંપનીના બોર્ડ પર હવે ઉધાર લેનારાઓના પ્રતિનિધિઓનો કબજો
નવી દિલ્હી ;જેટ એરવેઝના બોર્ડ ઓફ ડાયરેક્ટર પદેથી નરેશ ગોયલે રાજીનામુ આપું છે નરેશ ગોયલ અને સુનીતા ગોયલને બોર્ડ ઓફ ડાયરેક્ટરના પદેથી રાજીનામું આપવું પડ્યું છે. તેમના ઉપરાંત ઐતિહાદ એરવેઝના એક પ્રમોટરને પણ બોર્ડમાંથી બહાર જવું પડ્યું છે
. નરેશ ગોયલ હવે જેટ એરવેઝના ચેરમેન રહ્યા નથી. કંપની પર લગભગ 7000 કરોડ રૂપિયાનું દેવું છે. છેલ્લા કેટલાક મહિનાથી કર્મચારીઓને પગાર પણ મળ્યો નથી વિમાનોને પટ્ટા નહી આપવાના લીધે 41 વિમાન ગ્રાઉન્ડ થઇ ચૂક્યા છે.
કંપનીને લગભગ 1500 કરોડ રૂપિયાની તાત્કાલિક જરૂર છે. ગોયલ દ્વારા પદ છોડ્યા બાદ કંપનીને હવે બેંકો પાસેથી મદદ મળી જશે.નરેશ ગોયલની પાસે 51 ટકા શેર છે અને Etihad Airways ની પાસે 24 ટકા શેર છે. કંપનીને કોઇપણ સ્થિતિમાં માર્ચના અંત સુધી 1700 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવાનું છે.
રિપોર્ટ અનુસાર કંપનીના બોર્ડ પર હવે ઉધાર લેનારાઓના પ્રતિનિધિઓનો કબજો થઇ ગયો છે. તેમની પાસે હવે 50 ટકાથી વધુ શેર હશે. બેંકો દ્વારા જે બોર્ડનું ગઠન કર્યું તે હાલ કંપનીનું કામકાજ જોશે.
Etihad Airways એ 2013માં કંપનીમાં 600 મિલિયન ડોલર (4200 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું હતું, ત્યારબાદ કંપનીમાં તેમની ભાગીદારી 24 ટકા થઇ ગઇ હતી. તે સમયે પણ કંપનીની ખરાબ સ્થિતિ થઇ ગઇ હતી. આ વખતે નાણાકીય સ્થિતિ બગડતાં નરેશ ગોયલે Etihad Airways થી અને રોકાણ કરવા માટે કહ્યું. કંપનીને બેંક પાસેથી લોન મળી રહી નથી.